દેહી નિત્યમવધ્યોઽયં દેહે સર્વસ્ય ભારત ।
તસ્માત્સર્વાણિ ભૂતાનિ ન ત્વં શોચિતુમર્હસિ ॥ ૩૦॥
દેહી—આત્મા જે શરીરમાં રહે છે: નિત્યમ્—શાશ્વત; અવધ્ય:—વધ ન કરી શકાય એવો, અવિનાશી; અયમ્—આ આત્મા; દેહે—શરીરમાં; સર્વસ્ય—બધાના; ભારત—ભરતવંશી, અર્જુન; તસ્માત્—તેથી; સર્વાણિ—બધાં; ભૂતાનિ—જીવો; ન—નહીં; ત્વમ્—તું; શોચિતુમ્—શોક કરવા માટે; અર્હસિ—યોગ્ય છે.
BG 2.30: હે અર્જુન! શરીરમાં નિવાસ કરનારો આત્મા શાશ્વત અને અવિનાશી છે; તેથી તારે કોઈપણ જીવ માટે શોક કરવો જોઈએ નહીં.
ઉપદેશની આ વ્યાખ્યાનમાળામાં, શ્રી કૃષ્ણ વારંવાર કોઈ ચોક્કસ વિભાવનાને થોડાક શ્લોકોમાં સમજાવે છે અને પશ્ચાત, આ ઉપદેશોના સાર રૂપે શ્લોક કહે છે. આ શ્લોક આત્માની શાશ્વતતા અને તેની શરીરથી ભિન્નતાના ઉપદેશનો સાર છે.
દેહી નિત્યમવધ્યોઽયં દેહે સર્વસ્ય ભારત ।
તસ્માત્સર્વાણિ ભૂતાનિ ન ત્વં શોચિતુમર્હસિ ॥ ૩૦॥
હે અર્જુન! શરીરમાં નિવાસ કરનારો આત્મા શાશ્વત અને અવિનાશી છે; તેથી તારે કોઈપણ જીવ માટે શોક કરવો જોઈએ નહીં.
Sign in to save your favorite verses.
Sign In
તમે શોધી રહેલાં જ્ઞાન સુધી સીધા પહોંચો
પવિત્ર ભગવદ્ ગીતાના શાશ્વત પ્રેરણાદાયક જ્ઞાનથી તમારો દિવસ શરૂ કરો, જે સીધું તમારા ઈમેઇલ પર પહોંચે છે!